Gujarat

જામનગરના બેરાજા ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા ત્રણ જુગારીઓ પકડાયા

By GS TEAM
13 Mar 20261 min read
TukuTouch Logo
પોલીસે 3 જુગારીઓ પાસેથી રૂપિયા 3,750 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેરાજા ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા ત્રણ જુગારીઓ પકડાયા

Jamnagar Gambling Raid : જામનગર તાલુકાના બેરાજા ગામમાં પાદરમાં આવેલા શંકર ભગવાનના મંદિર પાસે જાહેરમાં કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો.

 પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા રઘુવીરભાઈ પાંચાભાઇ ભરવાડ, ભીખુભાઈ બચુભાઈ મકવાણા, અને ગોવિંદભાઈ પાંચાભાઇ કુંજડીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,750 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.