Gujarat

ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

By GS TEAM
20 Nov 20251 min read
TukuTouch Logo
ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 19 અને 20 નવેમ્બર, 2025ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર સોમનાથના તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

Talala Earthquake : ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 19 અને 20 નવેમ્બર, 2025ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. 


તાલાલામાં બે દિવસમાં ત્રણ ભૂકંપ

ગુજરાતની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા(ISR)મુજબ, ગીર સોમનાથના તાલાલામાં ગત 19 નવેમ્બરે, સવારે 06:12 વાગ્યે 2.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે બીજી દિવસે એટલે કે 20 નવેમ્બરના રોજ વારાફરતી બે ભૂકંપના આંચકા આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂ, અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો

ISR અનુસાર, ગીર સોમનાથના તાલાલામાં 20 નવેમ્બરે બપોરે 02:29 વાગ્યે 2.9 તીવ્રતાનો અને 02:53 વાગ્યે 3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયા છે. અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.