૫૦૦ રૃપિયામાં જન્મનો ખોટો દાખલો કાઢી આપનાર ઝડપાયો
અત્યારસુધી કેટલા લોકોને દાખલા કાઢી આપ્યા તેની તપાસ
વડોદરા,ખોટો જન્મનો દાખલો કાઢી આપવાના કેસમાં વારસિયા પોલીસે ગુનો દાખલ કરી દુકાનદાર સહિત ત્રણને ઝડપી પાડયા છે.
જન્મના ખોટા દાખલાના કિસ્સામાં વારસિયા પોલીસે ગુનો દાખલ કરી (૧) તેજલબેન સંજુભાઇ મારવાડી (૨) સંજુ મણીલાલ મારવાડી તથા (બંને રહે. જોગણી માતા મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં, વારસિયા) તથા (૩) મહાકાળી વુડાના મકાન સામે આવેલ જય અંબે ઓલ ઇન વન ડિજિટલ શોપના માલિક દિપક પટેલને ઝડપી પાડયા છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ બોગસ દાખલા અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, દુકાનદાર માત્ર ૫૦૦ રૃપિયામાં જન્મના ખોટા દાખલા કાઢી આપતો હતો. તે કેટલા સમયથી આ રીતે બનાવટી દાખલા કાઢી આપતો હતો. તેમજ અત્યારસુધી કેટલા લોકોને દાખલા કાઢી આપ્યા છે ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.