Gujarat

નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા

By GS TEAM
27 Feb 20261 min read
નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા

વડોદરાઃ નિઝામપુરા બસ ડેપો પર બનેલા ખૂની હુમલાના બનાવમાં પોલીસે ત્રણેય હુમલાખોરોનો વરઘોડો કાઢ્યો હતો.

નવાયાર્ડ લાલપુરા સામે રામેશ્વરની ચાલીમાં રહેતા ધર્મેશ ઉર્ફે રાહુલ પાટિલ તેના મિત્ર કાલુ સાથે નિઝામપુરા બસડેપો પર પરોઢિયે ચા પીવા ગયો ત્યારે જૂની અદાવતને કારણે તન્મય ઉર્ફે સની જાધવ,ચિરાગ સોલંકી ઉર્ફે ેજડી અને વિરાજસિંહ પરમારે તેના પર ખૂની હુમલો કર્યો હતો.

ફતેગંજ પોલીસે આ બનાવના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા.જેમાં ત્રણેય હુમલાખોરો ધર્મેશને ખેંચી જતા દેખાય છે. ત્યારબાદ પોલીસે ખૂનના પ્રયાસના ગુનામાં ત્રણેયની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો. જો કે આ પૈકીના એક આરોપીને ફતેગંજ પોલીસે કસ્ટડીની બહાર બેસાડી હોટલના ભોજનની સવલત કરવા દીધી હોવાનો વીડિયો વાયરલ થયો છે.