Gujarat
માંજલપુર વિસ્તારમાં 30મી માર્ચે પાણીકાપ રહેશે
By GS TEAM
28 Mar 20261 min read
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા (ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ) શાખા દ્વારા માંજલપુર પાણીની ટાંકી પર આવતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈન પર ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરાશે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા (ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ) શાખા દ્વારા માંજલપુર પાણીની ટાંકી પર આવતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈન પર ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરાશે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Water Shortage : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા (ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ) શાખા દ્વારા માંજલપુર પાણીની ટાંકી પર આવતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈન પર ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરાશે. તા.30 માર્ચ 2026ના રોજ આ કામગીરી હાથ ધરાતા તે દિવસે માંજલપુર ટાંકી પરથી સાંજના 5:30 થી 6:30 અને 7 થી 8 વાગ્યાના ઝોનમાં પાણી વિતરણ કરાશે નહીં.
આ ઉપરાંત તા.31 માર્ચ 2026ના રોજ સવારના ઝોનમાં પાણી પુરવઠો વિલંબથી તેમજ ઓછા દબાણથી આપવામાં આવશે. તેથી નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી રાખવા તેમજ કામગીરી દરમ્યાન સહકાર આપવા મ્યુનિસિપલ કોર્પોરેશને અપીલ કરી છે.









