અમદાવાદથી લંડન જતા વિમાનમાં દિવ વિસ્તારના 15 મુસાફરો હતા
એક યુવાન વિમાનમાંથી કૂદકો મારી નીકળી જતા ઘવાયો
લાપતા મુસાફરોની ચાલતી શોધ; પરિવારજનો ગમગીન
દીવ: અમદાવાદની પ્લેન તુટી પડયાની ઘટના બાદ આજે દીવમાં ઘેરાશોકની લાગણી છવાઈ ગઈ હતી. આ વિસ્તારના ૧પ વ્યક્તિઓ એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી એક ભક્તિ વિશ્વેશ રશેષ (ઉ.વ.૩૭) (રહે. બુચરવાડા) કૂદકો મારી બહાર નીકળી જતાં તેન બચાવ થયો છે. અલબત સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. અન્ય લાપત્તા મુસાફરો અંગે તપાસ ચાલુ હોવાના નિર્દેશ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા.
દીવ વિસ્તારના બુચરવાડા, વણાંકબારા અને ગાંધીપરા વિસ્તારનાં ૧પ મુસાફરો અમદાવાદથી લંડન મુસાફરી માટે નીકળ્યા હોવાની વિગતોને સમર્થન આપી જિલ્લા વહિવટી તંત્રે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થતા કૂદકો મારી નીકળી જનાર વિશ્વેશ રશેષ હાલ સારવાર હેઠળ છે. જયારે (૧) અમૃતલાલ માનવ (ર) બાબુ મનીષ (૩) ભગવાન ચંદુ (૪) બીકા શાંતુભાઈ (પ) કાના વનિતા (૬) લક્ષ્મણ દેવજી (૭) રમેશ અજયકુમાર (૮) શાંતિલાલ હેમાક્ષી (૯) વાલુબાઈ રામા (૧૦) ફૈઝાન રફિક (૧૧) ગીરીશ લાલજી (૧ર) આદિવગીરી (૧૩) તકરચી ગીરીશ (૧૪) રમીલા, પ્રેમજી વશરામનો સમાવેશ થાય છે. આ તમામ મુસાફરોની શોધખોળ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.