Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અંબાલા ગામમાં ઘેટા બકરાના ચોરો ત્રાટક્યા હતા, અને એક પશુપાલકના વાડામાંથી 21 જેટલા ઘેટા બકરાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ જોડીયા પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે છે કે જોડિયા તાલુકાના અંબાલા ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બીજલભાઇ ભીખાભાઈ લાંબરીયા નામના યુવાને જોડિયા પોલીસ મથકમાં જાહેર કર્યા અનુસાર પોતાના વાડામાંથી રૂપિયા 1,68,000 ની કિંમતના 21 જેટલા ઘેટા બકરાની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પશુપાલકનો પરિવાર ગત 7મી તારીખે પોતાના ઘેર સૂતો હતો, જે દરમિયાન તેઓના વાડામાં રાખવામાં આવેલા ઘેટા બકરા પૈકીના કુલ 21 જેટલા અબોલ પશુઓની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાનું ફરિયાદના જણાવ્યું છે.


