Gujarat

જામનગરના જામવણથલી ગામમાં ખેડૂત શ્રમિકના મકાનમાં ચોરી : તસ્કરો રૂપિયા 58,000ના ઘરેણા ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ

By GS TEAM
27 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહીને એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા હાર્દિકભાઈ વલ્લભભાઈ બોરીચા પ્રજાપતિ (ઉંમર વર્ષ 35) ના બંધ રહેણાંક મકાનને કોઈ તત્કરોએ નિશાન બનાવી લીધું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના જામવણથલી ગામમાં ખેડૂત શ્રમિકના મકાનમાં ચોરી : તસ્કરો રૂપિયા 58,000ના ઘરેણા ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ

Jamnagar Theft Case : જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહીને એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા હાર્દિકભાઈ વલ્લભભાઈ બોરીચા પ્રજાપતિ (ઉંમર વર્ષ 35) ના બંધ રહેણાંક મકાનને કોઈ તત્કરોએ નિશાન બનાવી લીધું હતું.

 જેઓ પરિવાર સાથે મજૂરી કામ કરવા માટે ગયા હતા, દરમિયાન પાછળથી કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી લઇ ઓશરી માંથી રૂપિયા 58,000 ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ ગયા હોવાથી આ મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. અને તેઓની ટીમ વધુ તપાસ ચલાવે છે.