Get The App

અંબાજી: કોટેશ્વરના શોકના મેળામાં સ્વજનોની યાદમાં લોકોનું આક્રંદ, સામૂહિક અસ્થિ વિસર્જનની પરંપરા

Updated: Mar 27th, 2025

GS TEAM

Google News
Google News
અંબાજી: કોટેશ્વરના શોકના મેળામાં સ્વજનોની યાદમાં લોકોનું આક્રંદ, સામૂહિક અસ્થિ વિસર્જનની પરંપરા 1 - image

Ambaji News : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલાં કોટેશ્વરમાં આસ્થા સાથે શોકનો મેળો યોજાઈ છે. ફાગણ વદ તેરસના દિવસે ભરાતાં આ મેળામાં પોતાના સ્વજનોની યાદમાં લોકો આક્રંદ કરતા જોવા મળે છે. આદિવાસી સમાજની સામૂહિક અસ્થિ વિસર્જનની આ જૂની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

કોટેશ્વરમાં સામૂહિક અસ્થિ વિસર્જનની પરંપરા

અંબાજીના કોટેશ્વરમાં સરસ્વતી નદીના તટ ઉપર નવહતીનો મેળો યોજાઈ છે. જેમાં વર્ષ દરમિયાન મૃત્યુ થનારા પોતાના સ્વજનોની અસ્થિને વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં આદિવાસી આવે છે. મળતી માહિતી મુજબ, આ મેળો પહેલા રાત્રિના સમયમાં યોજાતો હતો, પરંતુ છેલ્લા 14 વર્ષથી ગરાસિયા સમાજના આગેવાનો દ્વારા રાત્રિ મેળો બંધ કરાયો હતો.

આ પણ વાંચો: જામનગરના લાખોટા તળાવ સ્થિત પક્ષીઘરમાં રહેલા 600 પક્ષીઓ માટે ઉનાળા દરમિયાન ખાસ વ્યવસ્થા કરાઈ

કોટેશ્વર મહાદેવ મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે, 'આદિવાસી સમાજના લોકો પોતાના સ્વજનોની અસ્થિને સાચવીને રાખીને અહીં સરસ્વતી નદીમાં વિસર્જન કરે છે. જ્યારે હવે જે બાકી રહ્યાં છે તેઓ આગામી સોમવારના દિવસે પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શકે છે.'