Gujarat

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
વાહનો વિના પેટ્રોલ પંપના ફિલરો પણ આરામમાં હતા: લોકોમાં ગભરાટ ઓસરી ગયો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ

Vadodara : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયાની આપવાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ કારણે વડોદરામાં સોમવારે વહેલી સવારથી જ તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જ્યારે બીજા દિવસે મંગળવારે તો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ હતી કે, કેટલાક પેટ્રોલ પંપ પર વાહન ચાલકો વચ્ચે રીતસરની મારામારી પણ થતા પોલીસની એન્ટ્રીઓ વિવિધ પેટ્રોલ પંપે થઈ હતી. જ્યારે કેટલાક ખાનગી કંપનીના પંપો પર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઘટી જતા બંધ કરાયા હતા. પરિણામે લોકોનો ગભરાટ ખૂબ વધી ગયો હતો. પેટ્રોલ ડીઝલ અંગે પૂરતો જથ્થો હોવાની સરકારી જાહેરાતો છતાં પણ લોકોનો સતત બે દિવસ સુધી ગભરાટ ચાલુ રહ્યા બાદ આજે બુધવારે સવારથી જ શહેરના પેટ્રોલ પંપો પર લાઇનો હતી નહીં.

 ઉલ્લેખનીય છે કે, મધ્ય પૂર્વમાં હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. પરિણામે વિશ્વભરના કેટલાય દેશોમાં એલપીજી ગેસ અને ઊર્જાના સ્રોતોમાં ઇંધણની અછત ઊભી થઈ છે. જેનો સીધો પડઘો દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાતમાં પણ પડ્યો હતો. જેથી એલપીજી ગેસનો પૂરતો જથ્થો હોવાની સરકારી જાહેરાત છતાં માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં લોકોએ ગેસ સિલિન્ડર મેળવવા માટે રીતસરની પડાપડી કરી હતી અને તક સાધુએ કાળા બજાર પણ શરૂ કરી સિલિન્ડરો વાગે કરવાના શરૂ કર્યા બાદ જોત જોતામાં શહેરની વિવિધ એજન્સીઓથી લાઈનો પણ ગાયબ થઈ ગઈ અને હવે ખૂબ આરામથી એલપીજી ગેસની ડિલિવરીમાં પણ રાહત થઈ ગઈ હતી. 

આવી જ રીતે પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ કેટલીક અફવાઓના કારણે વાહનચાલકોએ શહેરના તમામ પેટ્રોલ પંપો પર સોમવારે વહેલી સવારથી લાઈનો લગાડી દીધી હતી. કેટલીક જગ્યાએ વાહનોની આ લાઈનો અડધા કિલોમીટર થી પણ લાંબી લાગી હતી. 

ઉપરાંત લાઈનમાં ઉભેલા વાહનચાલકો વચ્ચે નજીવી બાબતે તકરારો શરૂ થઈ હતી. જ્યારે બીજી બાજુ કેટલાક પેટ્રોલ પંપ પર રીતસરની મારામારી થતા પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાની જાહેરાત માઈક દ્વારા કરતા વાહન ચાલકોનો ગભરાટ ઓછો થયો હતો. જોકે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગવાનું વધુ એક કારણ એવું પણ છે કે, શહેરમાં નાયરા સહિત ખાનગી કંપનીઓના મોટાભાગના પેટ્રોલ પંપો જથ્થો ખલાસ થતાં મંગળવારે બંધ રહ્યા હતા પરિણામે લોકોમાં વધુ ભય આપ્યો હતો. જોકે સોમવારે પેટ્રોલ પંપો પર ડીઝલના જથ્થા સામે માત્ર 7-8 ટકા જ વેચાણ થયું હતું. 

જોકે બે દિવસના ગભરાટ બાદ લોકોને હવે અહેસાસ થયો છે કે, પેટ્રોલ-ડીઝલ પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી આશાએ આજે સવારથી જ શહેરના તમામ પેટ્રોલ પંપ પર આસાનીથી જથ્થો મળી રહ્યો છે. પેટ્રોલફિલરો પણ આરામ ફરમાવતા નજરે પડ્યા હતા.