Gujarat

એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો

By GS TEAM
5 Feb 20261 min read
TukuTouch Logo
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ એકતાનગર સ્ટેશન પરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો અલગ-અલગ તારીખોથી અમલમાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એકતાનગરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરાયો

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ એકતાનગર સ્ટેશન પરથી ચાલતી કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફારો અલગ-અલગ તારીખોથી અમલમાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર 09410 એકતાનગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશલ (દ્વિ-સાપ્તાહિક) તા.14 ફેબ્રુઆરીથી એકતાનગર સ્ટેશન પરથી અગાઉના રાત્રે 8:20 કલાકના બદલે હવે 8:30 કલાકે પ્રસ્થાન કરશે.

તે ઉપરાંત, ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ તા.9 ફેબ્રુઆરીથી આગામી સૂચના સુધી એકતાનગર સ્ટેશન પરથી અગાઉના રાત્રે 8:55 કલાકના બદલે હવે 8:50 કલાકે પ્રસ્થાન કરશે.

આ સાથે, ટ્રેન નંબર 69206 એકતાનગર-પ્રતાપનગર મેમુના સમયપત્રકમાં પણ તા.10 ફેબ્રુઆરીથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે એકતાનગર સ્ટેશન પરથી રાત્રે 10:35 કલાકના બદલે 9:05 કલાકે પ્રસ્થાન કરશે.

ચાંદોદ સ્ટેશન પર અગાઉના રાત્રે 11 કલાકના બદલે રાત્રે 10:15 કલાકે, ડભોઈ સ્ટેશન પર 11:20ના બદલે 10:35 કલાકે પહોંચશે અને પ્રતાપનગર સ્ટેશન પર અગાઉના રાત્રે 12:05 કલાકના બદલે હવે 11:15 કલાકે પહોંચશે.