વાહનોના પંચર રીપેરના ભાવમાં પણ 50 ટકાનો વધારો થયો
-સુરત શહેર-જિલ્લામાં પંચર રીપેરની 1000થી વધુ શોપઃ વ્યવસાયમાં મોટીસંખ્યામાં કેરાલિયન સંકળાયેલા છે
સુરત,
વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથોસાથ પંચર રીપેર માટેની દુકાનોની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ છે. આ સંખ્યામાં વધારો છેલ્લાં દોઢ-બે વર્ષમાં અંદાજે 30 ટકા જેટલો છે. ફાયર વર્કર્સ એસો.એ પંચર રીપેર ચાર્જમાં 50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
સુરત શહેર અને જિલ્લા મળીને એક હજારથી વધુ પંચર રિપેર માટેની દુકાનો હોવાનો અંદાજ મૂકવામાં આવે છે. પંચર રીપેરના વ્યવસાય સાથે મોટી સંખ્યામાં કેરલિયન સંકળાયેલાં છે. પરંતુ હવે આ ફિલ્ડમાં હિન્દીભાષી પ્રદેશમાંથી આવનારાંઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં પાછલાં થોડાં વર્ષોમાં જોડાઈ ગયાં છે, એમ અશોકે જણાવ્યું હતું.
સુરત શહેરમાં પંચર રીપેર માટેની સૌથી વધુ દુકાનો છે. જ્યારે જિલ્લામાં આ સંખ્યા પ્રમાણમાં ઓછી છે. પંચર રીપેર માટેના રા મટીરીયલ, મજુરી તથા દુકાનોના ભાડામાં પાછલાના થોડાં વર્ષોમાં ખૂબ જ વધારો થયો છે. પરંતુ બીજી બાજુ રીપેર માટેના ચાર્જમાં છેલ્લાં પાંચ વર્ષથી કોઇ વધારો થયો નથી.
આથી હવે રીપેરના ચાર્જમાં જુદા જુદા પ્રકારના વાહનો પ્રમાણે 50 ટકાનો વધારો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એસો.ના સભ્યોને આ અંગેનો ચાર્ટ મૂકવાની સૂચના આપી દેવામાં આવી છે. રિક્ષાના રુ. 60, ટુ-વ્હીલના રુ.80, ફોર-વ્હીલના રુ. 100 તથા ટ્રકના રુ. 150 કરવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.