રિપેરિંગના નામે પ્રજાને બાનમાં લેતુ જેસર પીજીવીસીએલ તંત્ર
- મહુવા રોડ પરનું ટી.સી. નવું અને મોટું મુકવું જરૂરી
- જેસર ઉપરાંત કદમગીરી અને રાજપરા ફીડરમાં પણ તંત્રની અણઆવડતથી લોકો મુશ્કેલીમાં
જેસર પીજીવીસીએલ રિપેરિંગ અને મેઈન્ટેનન્સના નામે પ્રજાને અવાર-નવાર બાનમાં લે છે રાત્રિ હોય કે દિવસ હોય પીજીવીસીએલને કોઈ ફરક પડતો ન હોય તેમ મન ફાવે ત્યારે વિજળી ગૂલ કરી નાંખતા હોવાની સ્થાનિકોમાંથી આક્રોશભેર ફરિયાદો ઉઠી છે.જેમાં મહુવા રોડ વિસ્તાર પાસે આવેલાં રોડની નજીક આવેલાં ટીસીમાં અવારનવાર ખોટકો સર્જાય છે. સ્થાનિક રહિશોના જણાવ્યાનુંસાર, અંહીં આવલાં ટીસીની કેપીસીટી પુરી થઈ ગઈ હોય તેમજ વધારે પડતા કનેકશન આ ટીસીમાંથી અપાઈ હયા હોવાના કારણે દિવસમાં ત્રણથી ચાર વખત ડીઓ ઉડી જાય છે આ ટીસીમાંથી સરકારી હોસ્પિટલમાં પાવર સપ્લાય થતો હોવાથી વારંવાર સર્જાતી વીજ સમસ્યાને લઈ સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ દાખલ થયેલ દર્દીઓ ઉનાળાની કાળજાળ ગરમીમાં હેરાન થઈ રહ્યા છે. તેમજ આ ટીસીમાંથી અર્થિગ અપતાં ગત વર્ષે શૉક સર્કિટના કારણે એક ખૂટીયાનું મોત થયું હોવાથી તેનો તાકિદે વિકલ્પ વિચારવા માંગ ઉઠી છે. આ પણ અધુરૂં હોય તેમ કદમગીરી ફિડરમાં પણ કામગીરીના નામે ખેડૂતોને હેરાન થવું પડતું હોવાની સ્થાનિક કક્ષાએથી વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેસરની જેમ કમદગીરી ફિડરમાં પણ અવાર-નવાર વીજકાપના કારણે ખેડૂતો અને સ્થાનિકોની હેરાનગતિ બેવડાઈ છે ઉપરાંત, રાજપરા ફિડરમાં જેસરનાથતી હોવાની ઉદ્યોગગૃહોમાંથી ફરિયાદો ઉઠી છે.