Get The App

રિવરફ્રન્ટ પાસે અકસ્માત બાદ ટુ વ્હીલરમાં આગ

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

Updated: Apr 4th, 2023

GS TEAM


Google News
Google News
રિવરફ્રન્ટ પાસે અકસ્માત બાદ ટુ વ્હીલરમાં આગ 1 - image


અમદાવાદ,સોમવાર, 3 એપ્રિલ,2023

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં દૂધેશ્વર રીવરફ્રન્ટ આગળ સોમવારે રાત્રિના આઠ કલાકે કાર અને એકિટવા વચ્ચે અકસ્માત થતા ટુ વ્હીલરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી.ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,કંટ્રોલને આગ અંગે મેસેજ મળતા ફાયર વિભાગ તરફથી એક વાહન સ્થળ ઉપર મોકલી અપાયુ હતુ.અકસ્માતને કારણે વીજ થાંભલો ધરાશાયી થતા ટોરેન્ટ પાવરને આ અંગે જાણ કરવામા આવી હતી.દરમિયાન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહલા  લોકોએ ૧૦૮ બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા પ્રમાણે અકસ્માતની ઘટનામાં બાઈક સળગીને ખાખ થઈ ગયુ હતુ.

Tags :