Gujarat

વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર

By GS TEAM
29 May 20261 min read
TukuTouch Logo
પ્રધાનમંત્રીએ ઉર્જા બચાવોની કરેલી અપીલને ધ્યાનમાં રાખી કોર્પોરેશનમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ તેનો અમલ કરી રહ્યા છે. કોર્પોરેશનના મુખ્ય પેસેજમાં દિવસ દરમિયાન પણ લાઈટો ચાલુ રાખવામાં આવતી હતી પરંતુ હવે તે લાઈટો બંધ રાખવામાં આવે છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર

Vadodara Save Energy : પ્રધાનમંત્રીએ ઉર્જા બચાવોની કરેલી અપીલને ધ્યાનમાં રાખી કોર્પોરેશનમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ તેનો અમલ કરી રહ્યા છે. કોર્પોરેશનના મુખ્ય પેસેજમાં દિવસ દરમિયાન પણ લાઈટો ચાલુ રાખવામાં આવતી હતી પરંતુ હવે તે લાઈટો બંધ રાખવામાં આવે છે. સાથે સાથે નવા ચૂંટાયેલા મેયરે પણ એસી કારનો ઉપયોગ નહીં કરી ટુ-વ્હીલર પર ઓફિસ આવવાની શરૂઆત કરી છે. 

ખાડી દેશો વચ્ચે ચાલતા યુદ્ધના કારણે આગામી દિવસોમાં સર્જનારી એલપીજી ગેસ, પેટ્રોલ ડીઝલ સહિત ઉર્જાની કટોકટી આવવાની છે ત્યારે ઉર્જા બચાવવા પ્રધાન મંત્રીએ દેશવાસીઓને અપીલ કરી ત્યારે આ અપીલનો સીધી અસર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ પણ જોવા મળી હતી. પાલિકા કચેરીમાં પૂરતું અજવાળું હોવાના કારણે પેસેજની લાઈટો બંધ રાખી ઊર્જા બચત તરફ ધ્યાન આપવાનો મેસેજ શહેરીજનોને તંત્ર દ્વારા અપાયો હતો. 

પાલિકા કચેરી ખાતે વહીવટી ઓફિસની અંદર અને બહાર એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં પ્રધાનમંત્રીના સૂચનોનું પાલન થતું નજરે પડ્યું હતું. લોકોમાં પણ દેશહિત માટે ઈંધણ અને વીજળી બચાવવાની જાગૃતિ જોવા મળી રહી છે.

દેશના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઊર્જા બચત ખૂબ જ જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે. જો દરેક નાગરિક નાની નાની બાબતોમાં બચત કરે તો દેશને મોટો ફાયદો થઈ શકે છે.