કોરોનાનો કહેર યથાવત અમદાવાદમાં કોરોનાના નવા ૭૧ કેસ, એક મહિલાનું મોત
એક જ મહિનામાં કોરોનાના ૪૦૧ કેસ નોંધાયા, ત્રણ મહિલાના મોત
અમદાવાદ,બુધવાર,4 જુન,2025
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળે છે. કોરોનાના નવા
૭૧ કેસ નોંધાયા છે. સ્ટેડિયમ વોર્ડમાં રહેતી ૨૦ વર્ષની મહિલાનુ સોલા સિવિલ
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે.
એક જ મહિનામાં કોરોનાના ૪૦૧ કેસ નોંધાયા છે. ત્રણ મહિલાના મોત થયા છે.શહેરમાં ૨૮૧
કોરોનાના એકિટવ કેસ છે.
બુધવારે કોરોનાના નવા ૭૧ કેસ નોંધાયા હતા.જયારે ૩૦ દર્દીઓને
ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં ૧૧૮ દર્દી સાજા થતાં તેમને
હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ૨૮૧ દર્દી હોમ આઈસોલેશનમાં સારવાર લઈ
રહયા છે. શહેરના થલતેજ,બોડકદેવ
વોર્ડ સહિતના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કોરોનાના ૯૫ કેસ નોંધાયા છે.પાલડી,નવરંગપુરા સહિતના
પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાં કોરોનાના ૮૬ તથા જોધપુર,સરખેજ સહિતના
વોર્ડ ધરાવતા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કોરોનાના ૫૩ કેસ નોંધાયા છે.દક્ષિણ ઝોનના વિવિધ
વોર્ડમાં કોરોનાના વીસ કેસ નોંધાયા છે.ઉત્તર અને પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં
કોરોનાના અનુક્રમે ૧૨-૧૨ કેસ નોંધાયા છે.મધ્યઝોનમાં કોરોનાના ત્રણ એકિટવ કેસ
નોંધાવા પામ્યા છે.