રાજકોટ, તા. 24 એપ્રિલ 2020 શુક્રવાર
કોરોનાને કાબુમાં રાખવા રેડ ઝોન જાહેર કરાયેલા જંગલેશ્વર એરિયામાંથી આજે સવારે 6 વાગ્યાથી કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં 6 દિવસ કરફ્યુ રહ્યો હતો પણ કરફ્યુ દરમિયાન એક પણ કલાકની છૂટ આપવામાં આવી ન હતી.

પોલીસ ખુદ જરૂરિયાત મંદોને સામેથી કીટ આપતી હતી. આ એરિયામાં કરફ્યુ દરમિયાન 364 લોકોની ધરપકડ નિયમોના ભંગ બદલ કરવામાં આવી હતી. કરફ્યુ ઉઠ્યો પણ લોકડાઉનના કારણે લોકો હજુ બહાર નીકળી નહીં શકે.



