જામનગરના મેઘપર ગામની ઓરડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામની એક ઓરડીમાંથી એક અજાણ્યો યુવાન મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામ સામે ક્રિષ્ના યુ.પી. ઢાબા પાછળ પોલાભાઈ નામના આસામીએ બનાવેલી ઓરડીઓમાં 51 નંબરની ઓરડીમાં રહેતા 25 વર્ષના એક અજાણ્યો યુવાન ગઈકાલે સાંજે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છે.
આ બાબતની મૂળ ખંભાળિયા શહેરના જોધપુર નાકા પાસેના વતની અને હાલમાં તે ઓરડીઓમાં બી-15 માં રહેતા દીપકભાઈ કિશોરભાઈ ભટ્ટને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસનો કાફલાએ મૃતદેહનો કબજો સંભાળી દીપકભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો હતો. અને આ યુવાનની ઓળખ કરવા તજવીજ શરૂ કરી છે.








