જામનગર નજીક બાલાચડી તરફ જવાના રસ્તે તળાવની નજીક બાવળની ઝાળી નીચે આશરે 30થી 35 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવની જાણ સ્થાનિક વિસ્તારમાં રહેતા જૈવંતસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાએ પોલીસને કરતાં જોડિયાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.ડી. શિયાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જયારે મૃતકની ઓળખ કરવા માટે હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.


