Gujarat
જામનગર નજીક બાલાચડી પાસે બાવળની ઝાળીમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો
By GS TEAM
17 Oct 20251 min read
જામનગર નજીક બાલાચડી તરફ જવાના રસ્તે તળાવની નજીક બાવળની ઝાળી નીચે આશરે 30થી 35 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગર નજીક બાલાચડી તરફ જવાના રસ્તે તળાવની નજીક બાવળની ઝાળી નીચે આશરે 30થી 35 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક બાલાચડી તરફ જવાના રસ્તે તળાવની નજીક બાવળની ઝાળી નીચે આશરે 30થી 35 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવની જાણ સ્થાનિક વિસ્તારમાં રહેતા જૈવંતસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાએ પોલીસને કરતાં જોડિયાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.ડી. શિયાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને અજાણ્યા પુરુષના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જયારે મૃતકની ઓળખ કરવા માટે હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.








