જામનગર નજીક જુના નાગના ગામમાં ખારેક તોડવા બાબતે કિશોર પર હુમલો : પગમાં ફ્રેક્ચર થયાની પોલીસ ફરીયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના જુના નાગના ગામ વિસ્તારમાં ખારેક તોડવાની બાબતે થયેલા ઝઘડામાં એક કિશોરને ગંભીર ઇજા પહોંચતાં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ જુના નાગના વિસ્તારમાં રહેતા મનોજભાઈ મગનભાઈ પરમારના પંદર વર્ષીય પુત્ર સહિત કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા ત્યારે નજીકની વાડીમાં ખારેક તોડવા ગયા હતા. આ દરમિયાન વાડીના માલિક ભરતભાઇ રાઠોડ નામના ખેડૂત શખ્સએ ગુસ્સે થઈ લાકડાના ધોકાથી એક 15 વર્ષીય કિશોરને માર માર્યો હતો. હુમલામાં કિશોરના ડાબા પગમાં ફ્રેક્ચર થતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









