સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બાઇક પર જતાં 3 યુવકના ટ્રકની અડફેટે કરુણ મોત
AI image |
Accident Surendranagar: રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદનો પ્રયાસ કર્યો હતો. ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહો કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
મળતી માહિતી અનુસાર, દિવ્યાંશ પરમાર, ઇમરાન મોવર અને અફઝલ સિપાઈ નામના ત્રણેય મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતા, ત્યારે સામેથી આવતા ટ્રકે જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતા. ત્રણેય યુવકોએ જીવ ગુમાવતા તેઓના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.