Gujarat

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

By GS TEAM
20 Jun 20262 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. આ દરોડાને પગલે સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

Surendranagar Illegal Mining Raid: સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન પર રાજકોટ રેન્જની ટીમે મોટી કાર્યવાહી કરી છે. સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. આ દરોડાને પગલે સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સરકારી ખરાબામાં ચાલતું હતું કાળુંબજાર

મળતી માહિતી અનુસાર, ગુંદીયાવડા ગામની સીમમાં આવેલા સરકારી ખરાબાની જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદે રીતે મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું હતું. આ કૌભાંડ પાછળ ગબરુ મોગલ દ્વારા ખનીજ ચોરી કરતો હોવાનું સામે આવ્યું. રાજકોટ રેન્જની ટીમે અચાનક દરોડો પાડીને ઘટનાસ્થળેથી 3 એક્સવેટર અને  4 ડમ્પર, સહિત 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આ તમામ 7 વાહનો સહિત કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ જપ્ત કરાયેલા વાહનોને આગળની તપાસ માટે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલો ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો

સ્થાનિક તંત્ર અને ખનીજ વિભાગ સામે મોટા સવાલો

રાજકોટ રેન્જની આ સફળ અને મોટી કાર્યવાહીએ સુરેન્દ્રનગરના સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જો આટલા મોટા પાયે એક્સવેટર અને ડમ્પરો મૂકીને સરકારી જમીન પર ખુલ્લેઆમ ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું, તો સ્થાનિક પોલીસ, મામલતદાર અને ખાણ-ખનીજ વિભાગ અત્યાર સુધી અજાણ કેમ હતા? શું સ્થાનિક અધિકારીઓની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો હતો?

બહારની ટીમે આવીને કરેલી આ રેડ બાદ હવે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગ દોડતું થયું છે અને લિઝધારકો તેમજ ગેરકાયદે ખનન કરનારાઓ સામે દંડનીય આકરી કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.