- વાતવરણમાં પલટા વચ્ચે મિશ્રઋતુનો માહોલ
- જિલ્લામાં 36 ડિગ્રી તાપમાન પહોંચતા ગરમીથી લોકો ત્રસ્ત, વાયરલ બિમારીના કેસો પણ વધ્યા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે વહેલી સવારે ઝાકળ વર્ષા થઇ છે. બપોરે ૩૬ ડિગ્રી તાપમાન પહોંચતા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. મિશ્રઋતુના કારણે જનજીવન પણ અસર પડી છે.
ઝાલાવાડામાં વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે અને વાતાવરણના કારણે લોકોના સ્વાસ્થપ પર વિપરીત અસર પડી રહી છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં શરદી ઉધરસ ફીવર ના કેસો વધ્યા છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દૈનિક ૫૦૦ થી વધુ કેસોની ઓપીડી દાખલ થઈ રહી છે વાતાવરણના કારણે જનજીવન ઉપર તો અસર પડી રહી છે પરંતુ પશુ પક્ષીઓ ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે.
વહેલી સવારે ઠંડીનો ચમકારો હોય છે ત્યારે બપોર પડતા ની સાથે જ તાપમાનનો પારો ઊંચો જાય અને ૩૬ ડિગ્રી નજીક પહોંચી જતો હોય છે જેને લઈને બપોરના સમયે સુરેન્દ્રનગર શહેરના રસ્તાઓ સુમસામ નજરે પડે છે અને બીજી તરફ પશુ-પક્ષીઓને પણ હીટસ્ટોક લાગી જતા હોય તે પ્રકારની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે અને કેસો પણ વધ્યા છે. મળી રહી છે.


