સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં, જાહેર સ્થળ પર ચેકિંગ હાથ ધર્યું
- પહેલા
શસ્ત્ર વિરામ પછી ફરી સિઝફાયર ઉલ્લંઘનની સ્થિતિ વચ્ચે
- જિલ્લામાં
લોહીની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પ યોજાયા : પ્રાંત અધિકારીએ જ્ઞાાતિના
આગેવાન સાથે બેઠક યોજી
સુરેન્દ્રનગર : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે શનિવાર સાંજે બંને દેશએ શસ્ત્ર વિરામની જાહેરાત કરી હતી પરંતુ થોડી કલાકમાં પાકિસ્તાને સેના સિઝફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ શરુ કર્યું હતું. જોકે આ પહેલા જિલ્લા વહવિટી તંત્રએ વર્તમાન પરિસ્થિતિને લઇને સજ્જ બન્યું હતું.
યુધ્ધની
પરિસ્થિતિ દરમિયાન લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તેમજ બહારથી કોઈ શંકાસ્પદ
વ્યક્તિઓ કે વસ્તુઓ પ્રવેશ ન કરી શકે તેવા હેતુથી એસઓજી પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
હતું.