Get The App

ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો 1 - image


જિલ્લામાં ૧૦૯ રેડ કરીને ૩૭ તરુણ શ્રમિકોને મુક્ત કરાયા

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જીલ્લામાં  છેલ્લા પાંચ વર્ષમાં ૦૬ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૦ થી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં જિલામાં ૧૦૯ જેટલી રેડ કરીને ૦૬ બાળ શ્રમિકો અને ૩૭ તરુણ શ્રમિકો એમ કુલ ૪૩ બાળ-તરૃણ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. જે અંતર્ગત મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી કુલ રૃ. ૧ લાખ કરતાં વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

 જિલ્લમાં કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે કુલ ૧૭ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૧૨ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. તેમજ શ્રમ આયુક્ત કચેરી દ્વારા કોઈ બાળક મજુરી કરતું દેખાય અથવા જણાઈ આવે તો ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર  અથવા નજીકના પોલીસ સ્ટેશન કે શ્રમ વિભાગની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે તેમજ માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.  


Tags :