હોમગાર્ડઝ જવાનોના ફરજ ભથ્થામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamanagar Home Guard : ગુજરાત રાજયમાં લગભગ 40,000 જેટલાં હોમગાર્ડઝ કાર્યરત છે. પોલીસ સાથે ખભે ખભા મિલાવી હોમગાર્ડઝ જવાનો ફરજ બજાવે છે. રાજયમાં હાલમાં પોલીસની મોટી ઘટ છે. ત્યારે હોમગાર્ડઝ જવાનો રાત-દિવસ ફરજ પર હાજર હોય છે. આ ફરજ માટે હોમગાર્ડઝ જવાનને રૂા.454 નું દૈનિક માનદ્ ભથ્થું ચૂકવવામાં આવે છે. હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતાં મોટા ભાગના જવાનો મધ્યમ વર્ગથી નીચેના વર્ગના યુવાનો જોવા મળે છે. આ યુવાનો દિવસે મજૂરી કામ, નાના નાના રોજગાર કે નોકરી કરતાં હોય છે.
હોમગાર્ડઝની સેવા દેશભરમાં કાર્યરત છે. દેશના અન્ય રાજયોમાં હોમગાર્ડઝ જવાનોનું માનદ્ ભથ્થું રૂા. 900 આસપાસ જોવા મળે છે. ગુજરાત રાજયમાં આ ભથ્થું રૂા.454 છે. આ ભથ્થું અન્યો રાજયોની સરખામણીએ ઘણું ઓછું કહેવાય.
જામનગર હોમગાર્ડઝના પૂર્વ સ્ટાફ ઓફીસર હેમત ગોહિલે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજયના હોમગાર્ડઝ જવાનોના ભથ્થામાં વધારો કરવા માંગણી કરી છે.









