સુરતના કડોદરા સ્વા. વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરતના કડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ ડિપ્રેશનના કારણે મોતને વ્હાલુ કર્યુ હોવાનું પ્રાથમિક તારણ છે. આપઘાત મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કડોદરા સ્વામિનારાયણ વિદ્યાપીઠની વિદ્યાર્થિનીનો આપઘાત
મળતી માહિતી મુજબ, સુરતના કડોદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ વિશ્વ વિદ્યાપીઠ સંકુલની હોસ્ટેલમાં જિગીષા પ્રકાશભાઈ ગાયકવાડ નામની વિદ્યાર્થિનીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું છે. વિદ્યાર્થિની મૂળ નવસારીના વાંસદા ગામની રહેવાસી છે અને સંકુલમાં નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
આપઘાતના બનાવને પગલે કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થિનીએ ડિપ્રેશનના કારણે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.








