Gujarat
સાવકા પિતાનું મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ
By GS TEAM
10 Sep 20251 min read

- આંકલાવના અંબાવ ગામમાં
- તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા સગીરાને ગર્ભ રહ્યો હોવાનું ખૂલ્યું
આણંદ : આંકલાવ તાલુકાના અંબાવ ગામે એક સગીરાની માનસિક અસ્થિરતાનો લાભ લઈ સાવકા પિતાએ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દેતા આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ચેતન ઉર્ફે પપ્પુ રમણભાઈ પઢીયારે લગભગ છ માસ પૂર્વે ૧૭ વર્ષની મનોદિવ્યાંગ પાલક દિકરી ઉપર નજર બગાડી સગીરાની માનસિક અસ્થિરતાનો લાભ લઈ તેણીને પટાવી ફોસલાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો સગીરાની તબિયત લથડતા તેણીને હોસ્પિટલમાં લઈ જતા તેણીને ગર્ભ રહ્યો હોવાનું નિદાન થયું હતું. જેથી આંકલાવ પોલીસે ચેતન ઉર્ફે પપ્પુ રમણભાઈ પઢીયાર વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી








