25 ટ્રેડ સાથે ભાવનગરમાં 33 કરોડના ખર્ચે અદ્યતન આઈટીઆઈ બિલ્ડીંગ ખુલ્લું મુકાયું
- એપ્રેન્ટીસ યોજનાના છેલ્લા 3 વર્ષમાં 100 ટકા લક્ષ્યાંક સિદ્ધ
- 45 વર્કશોપ, 35 થિયરી રૂમ સાથેના આ બિલ્ડીંગમાં નવી 3 લેબ કાર્યરત કરાશે
શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સરકારી ઓદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર તા. ૧-૧૧-૫૯થી મંજુર કરાઈ છે. વિદ્યાનગર સ્થિત આઈ.ટી.આી.નું જુનુ બિલ્ડીંગ જર્જરીત બનતા વર્ષ ૧૫-૧૬ના ઠરાવથી મંજુરી મેળી ૩૨૩૨.૩૫ ચો.મી. જમીન પર ૪૫ વર્કશોપ ૩૫ થીયરી રૂમ અને ઓડીયો વિઝયુલ રૂમ, પ્લેસમેન્ટ, કાઉન્સીલીંગ રૂમ, આઈ.ટી. લેબ, ડોપા લેબ, વહીવટી રૂમ, લાયબ્રેરી જેવા ૧૪ રૂમોની સાથે કોન્ફરન્સ હોલનું પણ નિર્માણ ૩૩ કરોડના ખર્ચે કરવામાં આવેલ છે. હાલ આઈ.ટી.આઈ.માં ૨૫ ટ્રેડમાં દર વર્ષે ૨૮૪૮ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. આઈ.ટી. કોમ્પ્યુટર લેબ તથા મલ્ટીમીડિયા રૂમની સુવિધા છે. જેનો ઉપયોગ ઈલેક્ટ્રિકલ, વેલ્ડર, ઓટો ટ્રેડ જેવા મેકેનિક મોટર વ્હીલ, ટુ વ્હીલર ઓટો રીપેર, મશીન ડીઝલ, ડ્રેસ મેકિંગ જેવા વિવિધ વ્યવસાયોના તાલીમાર્થીઓ માટે અનુરૂપ છે. ભાવનગરના નવ નિર્મિત મલ્ટીસ્ટોરી બિલ્ડીંગનું ઈ લોકાપણ કેબીનેટ કક્ષાનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીએ સાંસદની ઉપસ્થિતિમાં ડિજીટલ માધ્યમથી કરવામાં આવ્યુ ંહતું. ચાલુ વર્ષ દરમ્યાન કુલ ૧૪ ભરતી મેળા યોજાયા છે. તો એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત ત્રણ વર્ષમાં ૧૦૦ ટકાથી વધુ લક્ષ્યાંક સિધ્ધ કરવામાં આવેલ છે. આ ભાવનગરના અદ્યતન બિલ્ડીંગની સાથો સાથ આવનારા સમયમાં મેગા આઈટીઆઈ પ્રોજેક્ટ હેઠળ વુડ વર્કિંગ, મેસન વર્કિંગ અને પ્લમ્બર વર્કિંગ એમ મહત્વની ત્રણ લેબ કાર્યરત કરવામાં આવશે.
આર. એન્ડ. બી.ની મંજૂરીના વાંકે જૂનું જર્જરીત વર્કશોપ હજુ ઉભું છે
વિદ્યાનગર સ્થિત આઈ.ટી.આઈ.ના નવા અદ્યતન બિલ્ડીંગ સામે જુના છાપરાવાળા વર્કશોપ અગાઉ કાર્યરત હતા. પરંતુ નવા વર્કશોપ બનતા આ જર્જરીત બનેલા જુના વર્કશોપને તોડી પાડવા આઈ.ટી.આઈ. દ્વારા આર એન્ડ બી વિભાગને ત્રણ પત્રો લખાયા હોવા છતાં આર એન્ડ બી વડી કચેરીના આદેશના વાકે ડીમોલેશન કામની જરૂરિયાત હોવા છતાં થઈ શકતું નથી. જે આ જગ્યા ખુલ્લી કરવામાં આવે તો વિદ્યાર્થી માટે વધુ મોકળાશનું વાતાવરણ આપી શકાશે.