જામનગર નજીક દરેડ વિસ્તારમાં પાનની દુકાનમાંથી નશાકારક ચોકલેટનું વેચાણ કરવાનું કારસ્તાન SOGના હાથે ઝડપાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર તાલુકાના દરેડ મસિતિયા રોડ પર એક પાનની દુકાનમાં નશાકારક ચોકલેટનું વેચાણ થઈ રહ્યું છે, અને આસપાસના વિસ્તારની મજૂરોની વસાહતમાં રહેતા શ્રમિકોને નશાનું સેવન કરવા માટેની વિશેષ પ્રકારની ચોકલેટ વેચાઈ રહી છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જીના પી.આઈ. અને તેઓની ટીમે ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન મસીતીયા રોડ પર એક ઓરડીમાં દુકાન ચલાવતા મોસીન પાન એન્ડ કોન્ટ્રાક્ટ નામની દુકાનના સંચાલકની દુકાને જઈને ચકાસણી કરતા તેની દુકાનમાંથી સેવન મીનાર આયુર્વેદ ઔષધી લખેલી નશાકારક 280 નંગ ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો, તેથી પોલીસ દ્વારા નશાકારક ગણાંતી ચોકલેટનો જથ્થો કબજે કરી લેવાયો છે, અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયો છે.
ઉપરાંત આ દુકાનના સંચાલક મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ દરેડમાં એક ઓરડીમાં ભાડેથી રહેતા મોહમ્મદ મોહસીન મોહમ્મદ મુસ્લિમ શબ્દફરોઝ (ઉંમર 40) ની પૂછપરછ હાથ ધરી છે, અને તેની સામે પંચકોષી બી.ડિવિઝન પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે.








