- જ્ઞાતિ સંઘર્ષ ઘટશે અને સામાજિક શાંતિ સ્થપાશે
- માતા-પિતાની સંમતિ ફરજિયાત થતા સામાજિક સુરક્ષા વધશે : લવ જેહાદ જેવા કિસ્સાઓ પર આવશે અંકુશ
સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં કરવામાં આવેલા સુધારાને સુરેન્દ્રનગર જિલ્લાના રહીશોએ આવકાર્યો છે. ખાસ કરીને પ્રેમલગ્નના કિસ્સાઓમાં માતા-પિતાની સંમતિ અને તેમની પ્રત્યક્ષ હાજરીને અનિવાર્ય બનાવતા ફેરફારથી વાલીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. લાંબા સમયથી જે પરિવારો સંતાનોના આવેગપૂર્ણ નિર્ણયો અને સામાજિક પ્રતિષ્ઠાને લઈ ચિંતાતુર રહેતા હતા, તેઓમાં હવે આ કાયદાથી સુરક્ષાનો નવો આશાવાદ જાગ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે, આ સુધારાથી ઉતાવળે લેવાતા નિર્ણયોમાં ઘટાડો થશે અને પારિવારિક એકતા વધુ મજબૂત બનશે.
નવા નિયમો અમલી બનતા સુરેન્દ્રનગર જિલ્લામાં જ્ઞાાતિ-જ્ઞાાતિ વચ્ચે થતા ઘર્ષણો અને વિવાદોમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. સામાજિક અગ્રણીઓના મતે, નોંધણી પ્રક્રિયામાં પારદશતા અને વાલીઓની મંજૂરી ફરજિયાત થવાથી 'લવ જેહાદ' અને છેતરપિંડી કરી લગ્ન કરતા તત્વો પર અંકુશ આવશે. આ કાયદો માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ બે પરિવારો વચ્ચેના ઝઘડા અટકાવવાનું અને સામાજિક સદભાવ જાળવવાનું સબળ માધ્યમ બનશે. જિલ્લાના વિવિધ સમાજ અને
સંગઠનોએ સરકારના આ પગલાંને નવી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટેનું 'માઈલસ્ટોન' ગણાવ્યું છે.
સંમતીથી થતા લગ્ન સુખી જીવનની ચાવી
સરકાર દ્વારા ઉત્તમ નિર્ણય કરાયો છે. આ નિર્ણયથી દીકરીઓને કોઈ લલચાવી-ફોસલાવી નહીં શકે અને છૂપી રીતે થતા લગ્ન બંધ થશે. માતા-પિતાની સંમતિ સુખી જીવન માટે અનિવાર્ય છે.
- મહેન્દ્રભાઇ પટેલ (પટેલ સમાજ અગ્રણી)
૨. પરિપક્વ નિર્ણય માટે વાલીની સંમતિ જરૂરી
૧૮ કે ૨૧ વર્ષની ઉંમરે જીવનભરનો સાથ નિભાવવાની નિર્ણયશક્તિનો અભાવ હોય છે. આવા સમયે માતા-પિતાનું માર્ગદર્શન અને સંમતિ અતિ આવશ્યક છે, જે માટે સરકારનો આ નિર્ણય સરાહનીય છે.
- ડો. રૂદ્રસિંહ ઝાલા (ક્ષત્રિય સમાજ અગ્રણી)
૩. સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવકાર્ય
માતા-પિતા હંમેશા સંતાનોના સારા માટે જ કાળજી લેતા હોય છે. સંતાનોએ પણ માતા-પિતાની જવાબદારી સમજવી જોઈએ. સરકારના આ નિર્ણયને હું અભિનંદન પાઠવું છું.
- નરેશભાઇ કૈલા (મારવાડી સમાજ અગ્રણી)
૪. સામાજિક ગેરરીતિઓ અને અવળા રવાડે જતી અટકશે
આ નિર્ણયથી આંતરજ્ઞાાતીય લગ્નોમાં થતો વધારો અને સંતાનોની મનમાની અટકશે. સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને ખોટા રસ્તે ચડતા યુવાનો પર લગામ આવશે.
- ડો. પ્રકાશભાઇ કોરડીયા (કોળી-ઠાકોર સમાજ અગ્રણી)
૫. સ્વમાનભેર જીવન અને લવ જેહાદ પર રોક
આ નિર્ણયથી લવ જેહાદ જેવા કેસો અટકશે અને માતા-પિતા સમાજમાં સ્વમાનભેર જીવી શકશે. રબારી સમાજ સરકારના આ ઐતિહાસિક નિર્ણયને આવકારે છે.
- ઘનશ્યામભાઇ સાવધરીયા - રબારી સમાજ અગ્રણી
૬. વ્યથિત માતા-પિતા માટે આશાનું કિરણ
પોતાની રીતે નિર્ણય લઈને જીવન બરબાદ કરતા સંતાનોને કારણે માતા-પિતા દુઃખી થતા હતા. આ નિર્ણય વાલીઓ માટે 'સોનાનો સૂરજ' ઉગ્યા સમાન આનંદ લાવ્યો છે.
- વિરેન્દ્રભાઇ આચાર્ય (બ્રહ્મ સમાજ અગ્રણી)
૭. ખીમજીભાઇ પ્રજાપતીથ દીકરીઓનું ભવિષ્ય અને સામાજિક મર્યાદા
પ્રજાપતિ સમાજ આ નિર્ણયને ટેકો આપે છે. આ ફેરફારથી દીકરીઓનું જીવન બરબાદ થતું અટકશે અને સમાજમાં માન-મર્યાદા જળવાઈ રહેશે.
- ખીમજીભાઇ પ્રજાપતી (પ્રજાપતિ સમાજ અગ્રણી)
૮. સામાજિક ઘર્ષણનો અંત અને ઉત્સવ જેવો માહોલ
પ્રેમલગ્નને કારણે થતા વેરઝેર અને મારામારીના બનાવો હવે ઘટશે. દલવાડી સમાજ માટે આ નિર્ણય એક મોટા ઉત્સવ સમાન છે જે હંમેશા યાદગાર રહેશે.
- રાકેશ ખાદલા (દલવાડી સમાજ અગ્રણી)
૯. ધામક દ્રષ્ટિએ પણ સંમતિનો નિર્ણય શ્રેƒ
અમારા ધર્મમાં પણ માતા-પિતા અને સંતાનોની પરસ્પર રજામંદીથી થતા કાર્યને શ્રેƒ ગણાવ્યું છે. સરકારનો આ નિર્ણય સર્વલક્ષી અને સારો છે.
- યુસુફ બાપુ (મુસ્લિમ સમાજ અગ્રણી)
૧૦. એન. કે. રાઠોડથ અસ્ત-વ્યસ્ત થતા જીવનમાં સ્થિરતા આવશે
માતા-પિતાની મંજૂરી વગર ભાગી જવાના કિસ્સાઓ સામાજિક જીવનને નુકસાન પહોંચાડતા હતા. હવે આવા બનાવો અટકશે અને સફળ જીવનનો માર્ગ મોકળો થશે.
- એન. કે. રાઠોડ (દલિત સમાજ અગ્રણી)
૧૧. છેતરપિંડી અને ઠગાઈ સામે કડક કાર્યવાહી
યુવતીઓને ખોટી ઓળખ આપી ફસાવતા તત્વો સામે સરકાર કડક હાથે કામ લેશે. જૈન અને અન્ય સમાજની દીકરીઓ સાથે થતી છેતરપિંડી અને લવ જેહાદના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થશે.
- માધવીબેન શાહ - જૈન સમાજ અગ્રણી


