Gujarat

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો

By GS TEAM
15 Mar 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાનાને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાની પાછળની દીવાલમાં બાકોરું પાડી બે તસ્કરો અંદરથી કુલ 5.92 લાખનો બ્રાસ પાર્ટનો માલ સામાન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે. તસ્કરોએ રાત્રિના સાડા પાંચ કલાક નો સમય કાઢીને ઉપરોક્ત ચોરી કરી હોવાનું સીસીટીવી કેમેરા મારફતે જાણવા મળ્યું છે. જેના ફૂટેજના આધારે પોલીસ બંને તસ્કરોને શોધી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાનાને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાની પાછળની દીવાલમાં બાકોરું પાડી બે તસ્કરો અંદરથી કુલ 5.92 લાખનો બ્રાસ પાર્ટનો માલ સામાન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે. તસ્કરોએ રાત્રિના સાડા પાંચ કલાક નો સમય કાઢીને ઉપરોક્ત ચોરી કરી હોવાનું સીસીટીવી કેમેરા મારફતે જાણવા મળ્યું છે. જેના ફૂટેજના આધારે પોલીસ બંને તસ્કરોને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં મારુતિ રેસીડેન્સીમાં રહેતા અને લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં શ્રી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા ભરતભાઈ બાબુભાઈ શિંગાળા નામના કારખાનેદારે લાલપુર પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી બે તસ્કરો રૂપિયા પાંચ લાખ 92 હજારની કિંમતના માલ સામાનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ગઈકાલે સાંજે પોતે કારખાનું બંધ કરીને પોતાના ઘેર ગયા હતા, જે દરમિયાન રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં તેમના કારખાનામાં પાછળની દીવાલમાં બાંકોરૂં પાડીને અંદર ઘૂસ્યા હતા, આશરે સાડા પાંચ કલાક જેટલો સમય કાઢીને કટકે કટકે પ્લાસ્ટિકના બકેટમાં પિત્તળ નો તૈયાર માલ સામાન, સળિયા વગેરે ભરીને કારખાનાની બહાર કાઢી ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું.

કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા મારફતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે ફરિયાદ બાદ લાલપુર ના પી.આઇ. કે એસ. ગળચર તેમજ એ.એસ.આઈ. દિગુભા જાડેજા, બીટ જમાદાર ટીનુભા જાડેજા સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. તસ્કરો કોઈપણ પ્રકારના વાહન મારફતે માલસામાન કાઢીને લઈ ગયા હોવાનું અનુમાન કરાયું છે, અને તે વાહનની પણ શોધખોળ ચલાવાઈ રહી છે.