રાવપુરામાં ભાલેરાવ ટેકરી ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું
રાવપુરા વિસ્તારમાં આવેલ ભાલેરાવ ટેકરી ખાતેના શક્તિકૃપા એપાર્ટમેન્ટના બીજા માળે આવેલ મકાનમાં રહેતા નીતિનભાઈ ચૌહાણ બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે રાત્રે તેઓ આ મકાનને લોક કરી આ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ખાતેના તેમના બીજા મકાનમાં સુવા માટે ગયા હતા. આજે વહેલી સવારે તેમના બીજા માળે આવેલ મકાનના દરવાજાનો નકુચો તુટેલ હતો. અને અજાણ્યા તસ્કરો લાકડાના કબાટમાંથી સોનાની બે વીંટી, સોનાની બુટ્ટી તથા રોકડા રૂ.25 હજાર સહિત કુલ રૂ. 46 હજારની ચોરી કરી ગયા હોવાની જાણ થઈ હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.