Get The App

સરગાસણમાંથી ત્રણ સહિત ગાંધીનગર જિલ્લામાં વધુ છ લોકો કોરોના સંક્રમિત

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
સરગાસણમાંથી ત્રણ સહિત ગાંધીનગર જિલ્લામાં વધુ છ લોકો કોરોના સંક્રમિત 1 - image


કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨૭ સુધી પહોંચી

સે-૫,૧૨ અને સે-૧૯માંથી એક-એક કેસઃપોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા સભ્યોને સાવચેત રહેવા તાકિદ

ગાંધીનગર :  ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આજે કોરોનાના વધુ છ નવા કેસ નોંધાતા શહેરમાં ચિંતા વ્યાપી છે. આ નવા કેસ સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૭ સુધી પહોંચી ગઈ છે. આજે નોંધાયેલા તમામ છ કેસ કોર્પોરેશન વિસ્તારમાંથી જ સામે આવ્યા છે જેમાંથી ત્રણ કેસ એકલા સરગાસણ વિસ્તારમાંથી મળી આવ્યા છે.

આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, આજે નોંધાયેલા કેસોમાં સરગાસણના ૩૫ વર્ષીય સરકારી કર્મચારીનો સમાવેશ થાય છે. તેમને છેલ્લા ઘણા સમયથી તાવ, માથામાં દુઃખાવો અને કફની તકલીફ હતી. ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત, સરગાસણમાં રહેતો અને અમદાવાદમાં ખાનગી નોકરી કરતો ૨૪ વર્ષીય યુવાન પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. સરગાસણની ટીપી ૯ ખાતે રહેતા અને અમદાવાદમાં ખાનગી નોકરી કરતા ૫૦ વર્ષીય કર્મચારીને પણ તાવ, અશક્તિ, શરીરમાં દુઃખાવો, શરદી અને કફની તકલીફ હતી, અને તેમનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, સેક્ટર-૧૨ માં રહેતી ૩૬ વર્ષીય ગૃહિણી પણ કોરોના સંક્રમિત થઈ છે. તેમને તાવ અને ગળામાં બળતરા થતા સિવિલમાં ટેસ્ટ કરાયો હતો, જે આજે પોઝિટિવ આવ્યો છે. સેક્ટર-૧૯ માં રહેતી ૩૨ વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત, સેક્ટર-૫ માં રહેતા ૨૨ વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

Tags :