Get The App

55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ 1 - image


ગુજરાતમાં NFSA રેશનકાર્ડમાં નામ ધરાવતા   લોકોના ઈન્કમટેક્સ રિટર્નમાં 6  લાખથી વધુ આવક, 5 એકરથી વધુ ખેતજમીન, પેઢીના માલિક હોવાના આધાર GST નંબર વગેરે લક્ષ્યમાં લઈને રાજ્યમાં 55 લાખ લોકોને આ લાભથી દૂર કરવા કરવા નોટિસો બજાવવાની કામગીરી 

રાજકોટ, : ગુજરાતમાં આશરે 3.60 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) કાર્ડ ધરાવે છે આ પૈકીના આશરે 56 લાખ લાભાર્થીઓ આ મફત અનાજ મેળવવા પાત્રતા ધરાવતા નથી તેમ કેટલાક ધોરણો અનુસાર ઓનલાઈન વિગતો મળતા હવે આ તમામને લાભાર્થી તરીકે નામ કમી કરવા નોટિસો ફટકારવાનું શરૂ કરાયું છે અને આ કામગીરી પૂરવઠા અધિકારીઓએ પોતે કરાવવાને બદલે સસ્તા અનાજના દુકાનદારો પર થોપી દેવાતા ભારે રોષ ફેલાયો છે. 

આ અંગે રાજકોટ ફેરપ્રાઈઝ શોપ્સ એસો.ના જણાવ્યા અનુસાર એન.એફ.એસ.એ.કાર્ડ પર વ્યક્તિદિઠ દર મહિને 5 કિલો ઘંઉ, ચોખા સહિતનું અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવતા  લોકોના ઈન્કમટેક્સ રિટર્નમાં 6  લાખથી વધુ આવક, પાંચ એકરથી વધુ ખેતજમીન, પેઢીના માલિક હોવાના આધાર જીએસટી નંબર વગેરે લક્ષ્યમાં લઈને એ.આઈ.મારફત રાજ્યમાં 55 લાખ લોકોને આ લાભથી દૂર કરવા એટલે કે એનએફએસએ કાર્ડમાં નામ રદ કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ થઈ છે. 

આ કામગીરી સરકારે પોતે કરવાને બદલે વેપારીઓ ગ્રાહકોમાં અળખામણાં થાય તે રીતે દુકાનદારોને અપાઈ છે અને આ માટે કોઈ નીતિનિયમો સાથે પરિપત્ર કે હૂકમ પણ જારી કરાયા નથી. આ સામે  તમામ દુકાનદારોમાં તીવ્ર નારાજગી અને રોષ છે જે અંગે અગાઉ નિયામકને, જિલ્લા પૂરવઠા અધિકારીને રજૂઆત બાદ આજે વધુ એક વાર રજૂઆત કરવામાં આવી છે. 

Tags :