Get The App

સરથાણા સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ યોજાયો

Updated: Jan 7th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા-7 જાન્યુઆરી 2020 , મંગળવાર

મણિનગર  શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી  શાકોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું.  શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામે ભવ્ય શાકોત્સવ કરીને હજારો ભક્તોને ભાવથી જમાડયા હતા. આ પ્રણાલી આજે પણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત તમામ મંદિરોમાં શરૃ છે. આ શાકોત્સવમાં હજારો ભક્તોએ પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે શ્રી હરિકેશવ સ્વામી, શ્રી ધર્માત્માપ્રિય સ્વામી, શ્રી સનાતનસ્વરૃપ સ્વામી, શ્રી દિવ્ય વિભૂષણ સ્વામી, શ્રી શાંતિનિલય સ્વામી તેમજ ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા.

Tags :