અમદાવાદ: પ્રબોધિની એકાદશીએ શાહીબાગ BAPS મંદિરમાં યોજાયો શાકોત્સવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : ચાતુર્માસના અંતે આવતા પવિત્ર દિવસ, પ્રબોધિની એકાદશીના શુભ દિને આજે રવિવાર (2 નવેમ્બર)ના રોજ, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદમાં આવેલા શાહીબાગ મંદિરે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાહીબાગ BAPS મંદિરમાં યોજાયો શાકોત્સવ
પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરીને સમગ્ર માનવજાત પર કૃપા કરનાર પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે દર વર્ષે આ વિશિષ્ટ ઉત્સવની BAPSના તમામ મંદિરોમાં અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
ભગવાન સમક્ષ સેંકડો શાકભાજીની ભવ્ય હાટડી
અમદાવાદના BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે આજે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની અત્યંત ભવ્ય અને કલાત્મક હાટડી ગોઠવવામાં આવી હતી. હરિભક્તોએ આ પવિત્ર દિને આ કલાત્મક રીતે અર્પણ કરેલાં દ્રવ્યોના દર્શનનો લાભ લીધો હતો. આ શાકોત્સવની હાટડીમાં 80 કરતાં વધુ પ્રકારના શાકભાજી અને 20 કરતાં વધુ પ્રકારના ફળો ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ 'જય ગિરનારી'ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ
દર્શનાર્થીઓએ આ પવિત્ર અને ભક્તિસભર દ્રશ્યોના દર્શન કર્યા બાદ સાંજે યોજાયેલી વિશિષ્ટ આરતીનો પણ ભાવપૂર્વક લાભ લીધો હતો. પ્રબોધિની એકાદશીના આ શુભ દિને ભક્તોએ ભગવાનના વિશેષ દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.








