પેથાપુરની સુખડેશ્વર સોસાયટીમાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા
કોર્પોરેશનથી સીએમ ઓનલાઇન ફરિયાદ છતા સ્થિતિ ઠેરની ઠેર
૨૦ દિવસથી ૨૪ કલાક પાણી ઉભરાવવાની સમસ્યાથી ગટરના ગંદા-દુર્ગંધયુક્ત પાણીનુ રસ્તા અને મેદાનમાં તળાવ
આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોએ અનેકવાર નગરસેવક, મ્યુનિસિપલ
અધિકારીઓ અને સીએમ હેલ્પલાઇન પર પણ ફરિયાદ કરી હોવા છતાં, હજુ સુધી કોઈ ઠોસ
પગલાં લેવાયા નથી. પરિણામે રોગચાળાની શક્યતા વધી રહી છે અને નાગરિકોમાં ભયનો માહોલ
સર્જાયો છે. ચોમાસા પહેલા જ આવી સ્થિતિ સર્જાતા તંત્રના પ્રી-મોન્સૂન કામગીરી પર
પણ પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.
સોશિયલ મીડિયામાં પણ નાગરિકોએ અનેક વખત વીડિયો અને ફોટા શેર
કરીને આ સમસ્યાનો ઉલ્લેખ કર્યોે છે. તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા સ્થાનિકોની તકલીફને
વધુ ઉડી બનાવી રહી છે. નાગરિકોની માંગ છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને પરિસ્થિતિ
કાબૂમાં લાવવામાં આવે નહીં તો રહિશો ઉગ્ર આંદોલન કરવા મજબૂર થશે.એટલુ જ નહીં, સત્વરે તંત્ર દ્વારા
અહીં પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નિકળશે બાદમાં તો તંત્રને આ ગટરની સમસ્યાનો
ઉકેલ લાવવો જ પડશે. તો અત્યારે જ સ્થાનિક તંત્ર હરકતમાં આવે તો રોગચાળો ફેલાતો અટકે
તેવી માંગણી સ્થાનિકોની છે.