Gujarat
સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત
By GS TEAM
18 Jun 20261 min read

વડોદરા,પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતા સીનિઅર સિટિઝનને બાઇકસવારે ટક્કર મારતા ગંભીર ઇજા થતા તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
મળતી માહિતી મુજબ, વાડી તાઇવાડા વચલા ફળિયામાં રહેતા ૬૦ વર્ષના મોહંમદખાલીદ મોહંમદશફી શેઠવાલા ગત ૧૬ મી તારીખે પાણીગેટ પાણીની ટાંકી ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન બાઇકસવારે તેઓને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. પોલીસે બાઇક ચાલક સૂરજ રામશંકરભાઇ રાજપૂત (રહે. ખંડેરાવ માર્કેટ પાસે, મૂળ રહે. યુ.પી.) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








