Gujarat

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

By GS TEAM
4 Mar 20262 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, પંચમહાલ જિલ્લા પંચાયત અને મોરવા હડફ તાલુકા પંચાયતના મતદાર મંડળોની રચના તેમજ અનામત બેઠકોની ફાળવણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત(બક્ષીપંચ) વર્ગને અન્યાય થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

Morva Hadaf Taluka Panchayat Seat : પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચો અને સ્થાનિક આગેવાનો દ્વારા ગોધરાની જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, પંચમહાલ જિલ્લા પંચાયત અને મોરવા હડફ તાલુકા પંચાયતના મતદાર મંડળોની રચના તેમજ અનામત બેઠકોની ફાળવણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત(બક્ષીપંચ) વર્ગને અન્યાય થયો છે. 


મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ

ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા અધિનિયમ-2023 મુજબ 27 ટકા અનામતની જોગવાઈ હોવા છતાં મોરવા હડફ તાલુકામાં તે મુજબની ફાળવણી ન કરાઈ હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રતિનિધિમંડળે જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાં બક્ષીપંચ વર્ગને મળવાપાત્ર બેઠકો ઓછી ફાળવાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ મોરવા હડફ તાલુકા પંચાયતની બેઠકોમાં પણ 27 ટકા અનામત મુજબ ફાળવણી ન થતાં બાકી રહેલી બેઠકો અનામત જાહેર કરવાની માંગણી કરી હતી.

આ ઉપરાંત મતદાર મંડળોની રચનામાં ગામોને વિભાજિત કરીને અન્ય બેઠકોમાં જોડાણ કરવામાં આવ્યું હોવાનું જણાવતાં, બામણા બેઠકને પુનઃસ્થાપિત કરવાની તેમજ રસુલપુર અને કસનપુર ગામના વિભાજન મુદ્દે પુર્નવિચાર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

આ પણ વાંચો: શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી

પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, ગામોના વિસ્તારોને અલગ-અલગ બેઠકોમાં સામેલ કરવાથી વહીવટી અને વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવણીમાં વિસંગતતા ઊભી થવાની શક્યતા છે. તમામ મુદ્દાઓ પર તાત્કાલિક પુનઃવિચારણા કરી ન્યાયસંગત અનામત ફાળવણી અને મતદાર મંડળોની યોગ્ય રચના કરવા સંબંધિત સત્તાધિકારીઓને વિનંતી કરવામાં આવી હતી.