Get The App

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 5 લાખની ઠગાઈ : એનઆરઆઈ સહિત બે વિરુદ્ધ ગુનો નોંધાયો 1 - image

યુકેના વિઝા અપાવવાના બહાને રૂ. 20 લાખની રકમ પડાવી વિઝા કરાવી ન આપી રૂ. 5 ઠગાઈ લાખની ઠગાઈ મામલે ફરિયાદના આધારે પાલેજ પોલીસે એનઆરઆઈ સહિત બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતના કામરેજ ખાતે રહેતા રોહિતભાઈ વાઘેલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારી પત્નીની સહેલીએ યુકેમાં રહેતા તેના જીજાજી રવિસિંગ વિચાર કન્સલ્ટન્સીનું કામ કરે છે અને પાલેજ ગામના રહેવાસી યાસીન પટેલ તેમના પાર્ટનર છે. તેવું જણાવતા મારે ધંધાર્થે વિદેશ જવા તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પાલેજ રેલ્વે સ્ટેશનની પાછળ સિલેક્ટ ઓવરસીઝ નામની ઓફિસે યાસીનને મળી યુકેના વિઝા માટે રૂ. 20 લાખની રકમ ચૂકવી હતી. ત્યારબાદ તેઓએ વિઝા અંગેની કોઈ કાર્યવાહી નહીં કરી નાણા પરત નહીં આપી ધમકી આપી હતી. જેથી પોલીસને અરજી આપતા આરોપીએ ટુકડે ટુકડે રૂ.15 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકી રૂ.5 લાખની રકમ પરત કરી ન હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.