Get The App

સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા 1 - image


બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

દિવાળીના પર્વ અગાઉ અંકલેશ્વરથી પરિવાર દર્શન કરવા આવ્યો હતો

ભાવનગર: સાળંગપુર મંદિરમાં ધનતેરસના દિવસે દર્શન કરવા આવેલા પરિવારની મહિલાના પર્સમાંથી રોકડા રૂ.૪.૫૦ લાખની ચોરી થઈ છે. બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા જયેશભાઈ રમેશભાઈ પાનસુરિયા તેમના પત્નિ અને દિકરી સાથે ગત તા.૧૮-૧૦ના રોજ વહેલી સવારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. દિવાળીનું પર્વ હોય મંદિરમાં ભીડ હતી. તેઓ મંદિરમાં દર્શનની લાઈનમાં ઉભા હતા, આ દરમિયાન મંદિરની અંદર તેમના પત્નિના પર્સમાં રાખેલા રૂ. પાંચ લાખમાંથી રૂ.૪.૫૦ લાખ કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Tags :