દ્વારકાની ગોમતી નદીના 16 ઘાટ પર દોરડાં બાંધી દઇ અવરજવર બંધ કરી
અકસ્માતની ઘટનાઓ બન્યા પછી આડકતરો સ્નાન પ્રતિબંધ : તંત્રનાં પગલાંથી શ્રધ્ધાળુઓનો વિરોધ, રેસ્ક્યૂ ટીમ, તરવૈયા તહેનાત કરી સ્નાનની છૂટ આપવા માગણી
દ્વારકા, : યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં છેલ્લાં પંદર દિવસમાં ડૂબી જવાના નેલા બનાવોના પગલે તંત્રે નદીના જૂના સોળે'ય ઘાટ પર દોરડાઓ બાંધી માનવ અવરજવર પ્રતિબંધિત કરી દઇ આડકતરી રીતે સ્નાન પર પ્રતિબંધ મુકી દીધો છે. જેનાથી શ્રધ્ધાળુઓ નારાજ થયા છે.
અહીં ગોમતી સ્નાનનો મહિમા ખૂબજ મોટો છે. પરંતુ હવે શ્રધ્ધાળુઓ માટે સ્નાન આડકતરો પ્રતિબંધ મુકાઇ ગયો છે. શ્રધ્ધાળુઓ કહે છે કે ધસમસતી ગંગા નદીમાં સ્નાન કરવા બાબતે તંત્રે આગવી વ્યવસ્થા કરી છે. તેવી જ અહીં સવલત ઉભી કરવી જોઇએ. અહીં વહેલી સવારના પાંચ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી રેસ્ક્યૂ ટીમ અને ચાર તરવૈયાઓને સ્ટેન્ડ બાય રાખવા જોઇએ. તેમજ લોકો ડૂબી કેતણાઇ ન જાય એ માટે દરેક ઘાટ પર રેલિંગ અને સાંકળથી વ્યવસ્થા કરવી જરૂારી છે. આ ઉપરાંત દરેક ઘાટ પર સ્નાન કરવા જનારનું નામ લખી અગાઉ ટોકન આપી અને ઘાટ ઉપર ગીર્દી ન થાય. એવું નિયમન કરવું જરૂારી બન્યું છે. આ બાબતે સ્થાનિક પાલિકા અને યાત્રાધામ વિકાસ બોર્ડ તથા સ્થાનિક વહીવટી તંત્રે વ્યવસ્થા કરવી જોઇએ.