Gujarat

જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં જર્જરિત દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાઇ થઈ જતાં દોડધામ : સદભાગ્યે જાનહાની ટળી

By GS TEAM
30 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરમાં નાગનાથ ગૅઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન-પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક જ દુકાનની અંદર ધડાકો સંભળાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ વિસ્તારમાં જર્જરિત દુકાનનો છતનો હિસ્સો એકાએક ધરાશાઇ થઈ જતાં દોડધામ : સદભાગ્યે જાનહાની ટળી

Jamnagar : જામનગરમાં નાગનાથ ગૅઈટ વિસ્તારમાં આવેલી વિનોદ નાસ્તા ભુવન-પરોઠા હાઉસ નામની દુકાન કે જેના માલિક દ્વારા મોડી સાંજે દુકાનનું શટર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક જ દુકાનની અંદર ધડાકો સંભળાયો હતો.

 જેથી દુકાનદારે ફરીથી દુકાન ખોલીને ચેક કરતાં અંદર છતનો હિસ્સો ધસી પડ્યો હતો, અને સમગ્ર દુકાન કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. દુકાનમાં કોઈ હાજર ન હતું, અને દુકાનદારે દુકાન બંધ કર્યા બાદ ક્ષણ ભરમાં જ આ ઘટના બની હોવાથી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી, અને આસપાસના દુકાનદારો વગેરે એકત્ર થઈ ગયા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી પણ દોડતી થઈ છે, અને આસપાસના વિસ્તારમાં વધુ નુકસાની થાય તેવી પરિસ્થિતિ નથી ને, તે અંગેનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.