Get The App

જામનગરના મંદીરમાં દર્શનાર્થીના સ્વાંગમાં આવ્યો ચોર, પૂજારીની થેલીની ઉઠાંતરીની ધટના સીસીટીવીમાં કેદ

Updated: Oct 14th, 2024

GS TEAM


Google News
Google News
જામનગરના મંદીરમાં દર્શનાર્થીના સ્વાંગમાં આવ્યો ચોર, પૂજારીની થેલીની ઉઠાંતરીની ધટના સીસીટીવીમાં કેદ 1 - image

image : Freepik

Jamnagar : જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળમાં દર્શનાર્થે આવેલા એક શખ્સ દ્વારા મંદિરના પૂજારીની થેલીની ઉઠાંતરી કરાઈ હતી, જે મામલો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા પછી પોલીસ દ્વારા તસ્કરને શોધવાની કવાયત શરૂ કરાઈ છે.

જામનગરના આંણદાબાવા ચકલામાં આવેલ શ્રી ત્રિવિક્રમરાયજી મંદિરમાં પુજારીએ રાખેલી બેંગની ઉઠાંતરી થઈ ગઈ હતી. જે બેગમાં મોબાઈલફોન અને મંદિરની ચાવીઓ રાખવામાં આવી હતી. જે તસ્કર ઉઠાવી ગયો છે. ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેંદ થઈ હોવાથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

Tags :