શેરથા ગામથી કસ્તુરીનગરનો માર્ગ અકસ્માત ઝોન, કલેક્ટરને ફરિયાદ

ગ્રામજનોએ સમસ્યાઓ અધિકારીને રૂબરૂ કહીં સંભળાવી
ગામથી મહેસાણા હાઇવે ઉપર જવુ જીવનું જોખમ ગંદકી,આંતરિક બિસ્માર માર્ગ સહિતના પ્રશ્નો ઉઠયા
ગાંધીનગર કલેક્ટર આજે શેરથા ગામની ગ્રામપંચાયત ખાતે પહોંચીને તલાટી દફતરની વિગતવાર તપાસણી કરી હતી. અરજદારો સાથે રૂબરૂ વાતચીત કરીને તેમને મળતી સેવાઓ, સલામતી અને યોજનાકીય લાભો અંગે માહિતી મેળવી હતી. ગામના રસ્તા-રોડ, સ્વચ્છતા અને અન્ય ગ્રામ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે ઉપસ્થિત લોકો સાથે ચર્ચા કરીને હાજર અધિકારીને સુચના આપવામાં આવી હતી.ખાસ કરીને સ્વચ્છતા અને રોડના મુદ્દે વધુ ભાર મૂકતાં સંબંધિત અધિકારીઓને ત્વરિત કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.આ ચર્ચામાં રજૂ થયેલા પ્રશ્નોને વિભાગીય અધિકારીઓ સાથે ચર્ચા કરીને આયોજનબદ્ધ રીતે ઉકેલવા માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરે શેરથા ગામના સરકારી શાળાના મકાન, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને ગ્રામપંચાયત જેવા સ્થળોએ રૂબરૂ જઈને સેવાઓની ગુણવત્તા તપાસી હતી અને જરૂરી સુચનો કર્યા હતા.








