Gujarat

અકોટાની ફાફડશેખની ચાલમાં ઉભરાતી ડ્રેનેજ મામલે રહીશોનો હોબાળો

By GS TEAM
15 Sep 20251 min read
અકોટાની ફાફડશેખની ચાલમાં ઉભરાતી ડ્રેનેજ મામલે રહીશોનો હોબાળો


અકોટા વિસ્તારમાં આવેલ ફાફડશેખની ચાલમાં અવાર નવાર ઉભરાતી ડ્રેનેજ અને તેના કારણે પીવાનું દૂષિત પાણી તથા ગંદકીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ ભારે હોબાળો મચાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વોર્ડ નં. 12માં સમાવિષ્ટ અકોટામાં રામપુરા વુડા આવાસ યોજના પાસે આવેલ ફાફડશેખની ચાલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની સમસ્યા હોય રહીશોએ તંત્ર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાથી ડ્રેનેજના પાણી અને વરસાદના પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. ઘણી વખત આ પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. અને પીવાના પાણીની લાઈનમાં ભળતાં દૂષિત પાણી પીવાનો વખત આવ્યો છે. વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. કોર્પોરેશન આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ છે. બીજીતરફ ઘટનાની જાણ થતા કોર્પોરેશનની ટીમે સ્થળ પર દોડી જઈ કામગીરી હાથ ધરી હતી.