Get The App

વડોદરાના વાઘોડિયા રોડ પર રીંકલ એન્ટરપ્રાઇઝના સંચાલક દ્વારા ઝેરી કેમિકલ સળગાવી નાશ કરવાના મુદ્દે રહીશોનો હોબાળો

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના વાઘોડિયા રોડ પર રીંકલ એન્ટરપ્રાઇઝના સંચાલક દ્વારા ઝેરી કેમિકલ સળગાવી નાશ કરવાના મુદ્દે રહીશોનો હોબાળો 1 - image


Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના ગોડાઉનમાં રાત્રે સળગાવવામાં આવતા કેમિકલની દુર્ગંધથી આસપાસની સોસાયટીઓના લોકોને શ્વાસ રૂંધાવા સહિત શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 60 દિવસથી ચાલતી આ રોજિંદી કાર્યવાહી અંગે પાલિકા સત્તાધીશોને જાણ કરવા છતાં કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવતા નથી. 

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા રીંકલ એન્ટરપ્રાઇઝના માલિક દ્વારા ગોડાઉનમાં રાત્રે દસેક વાગ્યાના સુમારે કેમિકલ સ્ક્રેપ સળગાવવામાં આવે છે. 

સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નંદેસરી જીઆઇડીસીમાંથી આવતા આ કેમિકલના કચરાને રાત્રે 10 વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી સળગાવવામાં આવે છે પરિણામે તેના દુર્ગંધ ભર્યા ધુમાડાથી આસપાસની અનેક સોસાયટીના લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા સળગતા કેમિકલના સ્ક્રેપની આગ ચારે બાજુથી પાણી મારો કરીને બુજાવી હતી. જ્યારે પોલીસ આ ગોડાઉનના માલિક સામે કાર્યવાહી કરવા તેને શોધી રહી છે.

જોકે પાલીકા તંત્રમાં પણ વારંવાર જાણ કરવા છતાં સામાન્ય દંડ કરી દેવામાં આવે છે. આ બાબતે જરૂર કોઈ ચોક્કસ પગલા ભરવા સ્થાનિક રહીશોએ માગ કરી છે.

Tags :