Gujarat

પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા

By GS TEAM
7 Mar 20261 min read
પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા

સયાજીગંજ વિસ્તારના પરશુરામભઠ્ઠા ખાતે પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ આજે માટલા ફોડી મ્યુનિ. કોર્પોરેશન સામે નારાજગી દર્શાવી છે.

વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ નટરાજ ટાઉનશિપ પાછળ આવેલ વસાહતમાં ઘણા વર્ષોથી દૂષિત પાણી તથા અપૂરતા પ્રમાણમાં પાણીની ફરિયાદો છે. આજે વિસ્તારની મહિલાઓએ સામાજિક કાર્યકરની આગેવાનીમાં મ્યુનિ. કોર્પોરેશન વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.

રહીશોનું કહેવું છે કે, પાણીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાણી વિતરણ થાય ત્યારે ગટર મિશ્રિત પાણી આવે છે, જેના કારણે રોગચાળાનો ભય સતાવે છે. સામાજિક કાર્યકરનું કહેવું છે કે, આ વિસ્તારમાં ઘણા વર્ષોથી આ સમસ્યા હોય કાયમી ઉકેલ આવી રહ્યો નથી, રહીશોને પાણી માટે વલખાં મારવા પડે છે. મ્યુનિ.કોર્પોરેશન વહેલીતકે પૂરતા પ્રમાણમાં શુધ્ધ પાણી આપે.